|
કાયદો અને વ્યવસ્થાની જાળવણી
· નાગરિકો તરફથી આવતી અરજીઓ તથા રજૂઆતો સંબંધે પૂરતી તપાસ કરી ન્યાયિક પગલાં લેવાથી કોઈપણ અનિચ્છનિય બનાવ બનતો અટકાવી કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરી શકાય.
· ધાર્મિક, રાજકીય તથા કામદાર સંગઠનો દ્વારા થનાર સભા-સરઘસમાં પૂરતી કાળજી લઈ કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવાની ફરજ છે.
· કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની નીતિ અનુસાર ઘડવામાં આવેલ કાયદાઓ તથા જાહેરનામાંનું યોગ્ય રીતે પાલન કરાવવાની ફરજ છે.
· જિલ્લામાં મહાનુભાવો મુલાકાતે પધારે ત્યારે તેઓશ્રીઓને કેટેગરી મુજબની સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં આવે છે.
- જિલ્લામાં કોમ્યુનલ બનાવ તેમ જ વર્ગ - વિગ્રહના બનાવો દરમ્યાન પરિસ્થિતિને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવામાં આવે છે.
- જિલ્લામાં ધાર્મિક તહેવારો જેવા કે બકરીઈદ, મકરસંક્રાંતિ, મહોરમ, હોળી-ધુળેટી, રામનવમી, મહાવીર જયંતી, ઈદે-મિલાદ, રક્ષાબંધન, જન્માષ્ટમી, નવરાત્રી-દશેરા, રમઝાન ઈદ, નાતાલ, મહાશિવરાત્રિ, ગણેશ વિસર્જન તેમજ મેળા ઉત્સવો શરદ પૂનમમાં મેળો ભરાય છે.
- જિલ્લામાં ધરણાં, રેલી, આત્મવિલોપન અને હડતાળ જેવા કાર્યક્રમો દરમ્યાન અગમચેતીના ભાગરૂપે કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવામાં આવે છે.
- જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા માટે જ્યારે પણ વધુ ફોર્સની જરૂર જણાય ત્યારે એસ.આર.પી., બોર્ડર વિંગ, હોમગાર્ડ અને જી.આર.ડી.ની મદદ લેવામાં આવે છે.
- હાલમાં વધતી જતી ટ્રાફીક સમસ્યાને પહોંચી વળવા સારૂ પોલીસને મદદરૂપ નીવડે તે હેતુસર અત્રેના જીલ્લામાં ટ્રાફીક નિયંત્રણ અંગે હોમગાર્ડના માણસોને ટ્રાફીકની તાલીમ આપીને અલગ – અલગ પો.સ્ટે. ખાતે ફરજ બજાવવા સારૂ ફાળવવામાં આવેલ છે.
- હાલમાં જિલ્લામાં ગુમ થયેલ બાળકો / વ્યક્તિઓને શોધવા સારૂ ખાસ મિસીંગ સેલની રચના કરવામાં આવેલ છે. પો.સ્ટે. કક્ષાએ અને અત્રેની કચેરીએ પોલીસની એક અલગ ટીમ બનાવવામાં આવેલી છે. જે ટીમ ધ્વારા ગુમ થયેલ બાળકો / વ્યક્તિઓને શોધવાના સઘન પ્રયાસો કરવામાં આવે છે.
|
|
|
|
|