 |
|
પોલીસ અધિક્ષકશ્રી પાસે આવતી કાયદો અને વ્યવસ્થાને લગતી તેમજ વહિવટી બાબતોનો આખરી નિર્ણય તેઓ જાતે સત્તા મર્યાદામાં કરે છે. તદઉપરાંત વિભાગીય કક્ષાએ તાબાનાં પોલીસ સ્ટેશન/કચેરીઓને લગતી બાબતોનો નિકાલ નાયબ પોલીસ અધિક્ષકશ્રી તેઓને મળેલ સત્તા મર્યાદામાં કરે છે. જયારે પોલીસ સ્ટેશન કક્ષાએ કોઈ વહિવટી નિર્ણયો લેવાના હોતા નથી. માત્ર ગુન્હાને સંબંધિત કામગીરી અંગે પ્રથમ તબકકે ફરિયાદ નોંધી તે અંગેની પુરતી તપાસ હાથ ધરી પુરાવાઓ મુદામાલ વગરે મેળવી જરૂર જણાય નિષ્ણાંતનો અભિપ્રાય મેળવીને નામદાર કોર્ટમાં ગુન્હાને લગતુ ચાર્જશીટ કરવામાં આવે છે. કોર્ટની મુદતોએ હાજર રહી ગુન્હેગારોને કાયદા મુજબ સજા થાય તે માટે સતત આખરી નિકાલ થતા સુધી કાર્યવાહી કરવામાં આવે છે.
|
|
|
|
|
|